Wednesday, 20 December 2017

નરેશમાસા માટે

આજના ખાસ પ્રસંગે મારા વિચારો : પ્રમુખસ્થાનેથી..... જીવનમાં જે ઉપલબ્ધિ છે તે ઈશ્ચરની પ્રસાદીરુપ અને આનંદદાયી હોય છે જ, પણ એ સાથે સૌથી વધુ અગત્યનું છે, આપણાં મન અને શરીરનું સ્વસ્થ હોવું. તો જ જીવનને માણી શકાય છે. અને આ તંદુરસ્તી ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણી રોજનીશીમાં નિયમિતતા અને પ્રવૃત્તિ ભળે. સવાર, એ દિવસની શરૂઆત છે, એને શુભ અને લાભદાયી પ્રવૃત્તિથી ભરી દઈએ તો જીવનની મઝા પણ શુભ મંગલ બની જાય છે! થોડાંક સંગાથીઓ સાથે, આપણી ગાર્ડનની પ્રવૃત્તિ આપણે, ભરપૂર માણી રહ્યા છીએ.નિયમિત રીતે મળતા મળતા એક કુટુંબ જેવી ભાવના આ પ્રવૃત્તિમાં ભળી છે. વેદિક પ્રાર્થના, ૐ ઉચ્ચારણ અને સૂર્યનમસ્કાર આપણને સૌ ને સ્વસ્થ શરીર સાથે આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરાવે છે. તો હાસ્યના પ્રકાર :ખડખડાટ હાસ્યથી શરૂ કરીને નવ પ્રકારે હાસ્ય, જેમકે મિર્ચી હાસ્ય, નમસ્કાર હાસ્ય, લસ્સી હાસ્ય જેવા રસપ્રદ નામ ધરાવતા હાસ્ય સાથે જોડાઈને આપણે આનંદનો અનુભવ કરીએ છીએ. અને છેલ્લે વેરી ગુડ હાસ્ય મોર્નિંગને ખરેખર ગુડ મોર્નિંગ બનાવી દે છે. ધાર્મિક માહિતીની આપ લે, ગીત ગાયન અને જન્મદિવસની ઊજવણી આપણાં આનંદ સાથે સ્નેહનો વધારો કરે છે. નાસ્તા પાણી ઊજવણીમાં સોનામાં સુગંધ ભેળવે છે! આમ કોઈપણ ઉંમરે પ્રવૃત્ત રહીને જીવનને માણતા રહેવું એટલે ગાર્ડનની પ્રવૃત્તિમાં ભાગ લેવો. સહુને સ્નેહ વંદન. નરેશભાઈ વ્યાસ

No comments:

Post a Comment