મારામાં
મારામાં છે
ખળભળાટ,
ક્રોધ છે, નારાજગી છે,
ઈર્ષ્યા છે, કટુતા છે...
પણ મને એવી જ
સમજણ આપજે...
એ બધું નીવારવા પણ
હું અને હું પોતે જ છું...
અનેક ઉદ્વેગ મારી જોડે છે;
પણ હું શાંતિ જ ચાહું છું.
એટલે હું પ્રેમને અળગો
નથી કરી શકતી...
અને એટલે જ હું
ઈશ્વરની નજીક હોઉં છું!
©અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment