હું....
પૂર આવી ગયા
પછી
વહી ગયેલાં પાણી
અને જૂજ
અવશેષોની જેમ જ
ઉંમરના બહાવ સાથે
બાળપણ, મુગ્ધાવસ્થા અને
યૌવન તણાઈ ગયાં છે
મારા વ્યક્તિત્વમાંથી,
પણ અવશેષોમાંથી
હું ફરી પાછી
મને સંકોરું છું.
ફિનિક્સ ની જેમ
ફરી ઉડું છું,
સૂર્યરૂપી ધ્યેય
તરફ.
જીવન છે;
હા, જીવન છે,
જ્યાં સુધી
મારા શ્વાસ
મારા અસ્તિત્વને
નિખારે છે.
© અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment