Saturday, 15 April 2017

મંદાક્રાન્તા :મા ને પ્રાર્થના


છંદ:મંદાક્રાંતા /વર્ણ :17/યતિ:4,10
બંધારણ :મભનતતગાગા

છે ઊપેક્ષા અવિરતપણે કેમ જીવું કહેજે

બેચેની માં પરવશદશા કેમ ઝેલું કહેજે

ન આપે જો સુકુન મન તો ઝંખુ શું તે કહેજે

હૈયે કેવું ખળભળતું છે મૌન જાણે સહેજે

ઘોંઘાટો માં મન પરિસરે વ્યાપતી શાંતિ ક્યાં થી

વ્હાલાં સૌ કો' અનુસરણમાં એમનાં કૂટ સ્વાર્થો

છે ને વ્યાપ્યા જગતભરમાં એક જેવા રિવાજો

શી ચિંતા  છે ખુદ કુશળ ક્ષેમે જ ઠોકી વિચારો

સ્વાર્થો માં છે મશગુલ બધાં વાંક કોનો સમજો

નૈ કોઇ એ ચહુ ગમ મને થાબડીને સુવાડ્યો

વ્હાલાં તો યે તરકટ કરી  શેં મને તેં સતાવ્યો

આવી રીતે સ્થિતિ અવળી સાવ કેવી બિચારી

સંભાળો હો જગતજનની આવતો તુજ ખોળે.

છોડી ઝંઝા વિકટ જગની આવું તારા સહારે
(c) #Archayit અર્ચિતા દીપક પંડયા

No comments:

Post a Comment