Tuesday, 10 July 2018

હું


   હું

પૂર આવી ગયા
પછી
વહી ગયેલું પાણી
અને જૂજ અવશેષો
ની જેમ જ
મારું વ્યક્તિત્વ
ઉંમરના બહાવ સાથે
બાળપણ, મુગ્ધાવસ્થા અને
યૌવન તણાઈ ગયું તો છે,
પણ અવશેષો માંથી
હું ફરી પાછી
મને સંકોરું છું.
ફિનિક્સ ની જેમ
ફરી ઉડું છું,
સૂર્ય રૂપી ધ્યેય
તરફ.
જીવન છે;
જ્યાં સુધી
મારા શ્વાસ
મારા અસ્તિત્વને
નિખારે છે.
© અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment