Thursday, 1 August 2019

પાથેય

પાથેય

વલખાઈ જવું
વીખરાઈ જવું
અટવાઈ જવું

નાની શી કોઈ વાતે
ભરમાઈ જવું
અણગમા કોઈ બોલે
સહમાઈ જવું...

એ માનવીયતાથી જ
શીખતા શીખતા
આગળ વધીએ
ત્યાં થી
સાધુતા
સત્વતા
પરમહંસ કક્ષાનો રસ્તો છે!
© અર્ચિયત

No comments:

Post a Comment