Tuesday, 23 September 2014

Bhajavani

ચાંદ દૂર છો રહે,પણ ઝર્યા કરે અમીરસ ચાંદની,
પ્રેમે નિખરવું એ તેનું  કુદરતે ચીંધ્યું કામ છે,
દરિયો ઘૂઘવે કે પછી માણે હર વાત એ પ્રેમની,
રસભરી રાતની, એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે .
દૂરતા માં મોહતાજ નથી જ પ્રેમ કોઈ સંજોગથી,
દિલ જે અનુભવે એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
સંજોગના પ્રવાહમાં રહે તાકાત અડીખમ રહેવાની ,
પૂરી ઘડામણ ની,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
કિરદાર ઘડે કર્તા ધરતા પાલનહાર, રહે ભજવણી -
સહુની મૌલિક,એ તેનું  કુદરતે ચીંધ્યું કામ છે.
                     અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment