ચાંદ દૂર છો રહે,પણ ઝર્યા કરે અમીરસ ચાંદની,
પ્રેમે નિખરવું એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે,
દરિયો ઘૂઘવે કે પછી માણે હર વાત એ પ્રેમની,
રસભરી રાતની, એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે .
દૂરતા માં મોહતાજ નથી જ પ્રેમ કોઈ સંજોગથી,
દિલ જે અનુભવે એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
સંજોગના પ્રવાહમાં રહે તાકાત અડીખમ રહેવાની ,
પૂરી ઘડામણ ની,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
કિરદાર ઘડે કર્તા ધરતા પાલનહાર, રહે ભજવણી -
સહુની મૌલિક,એ તેનું કુદરતે ચીંધ્યું કામ છે.
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment