ભરતડકા જેવી યુવાની જાય ને
માત્ર જીવનપથ ચાર દિવસનો
કર્યા બધા તનના સાજ શણગાર
હવે વિચાર સજાવટ મનનો
લાગણીના દરિયે ડૂબ્યા ત્યારે
ન આવ્યો વિચાર તોફાન નો !
જકડ ને બંધન,ને જાસો બધી દિશાનો
તો આશરો પાલન હારનો !
છૂટ્યો કાળ મનની બધી છૂટેલી લગામ નો
હવે જ સમય ખરો અંતર્દ્વંદ્વ નો !
'તું જાતે કર તારો ઉદ્ધાર 'એ નારો
એવા મારગ પર વાયરો વિશ્વાસનો !
અર્ચિતા દીપક પંડ્યા
No comments:
Post a Comment