Wednesday, 17 September 2014

Uddhar

ભરતડકા જેવી યુવાની જાય ને
      માત્ર જીવનપથ ચાર દિવસનો
કર્યા બધા તનના સાજ શણગાર
      હવે વિચાર સજાવટ મનનો
લાગણીના દરિયે ડૂબ્યા ત્યારે
      ન આવ્યો વિચાર તોફાન નો !
જકડ ને બંધન,ને જાસો બધી દિશાનો
      તો આશરો  પાલન હારનો !
છૂટ્યો કાળ મનની બધી છૂટેલી લગામ નો
       હવે જ સમય ખરો અંતર્દ્વંદ્વ નો !
'તું જાતે કર તારો ઉદ્ધાર 'એ નારો
      એવા મારગ પર વાયરો વિશ્વાસનો !
                   અર્ચિતા દીપક પંડ્યા

No comments:

Post a Comment