અસહાયતા
નરી સંવેદના છે મારામાં ઠોસ કશું નથી
તો યે રણમાં આ ઝરણું સુકાતું કેમ નથી ?
ઝાંઝવાની દોસ્તીએ ઉછરે છે લીલી વેલ
ના પૂછશો કે કળી કેમ કોઈ મહોરી નથી !
આંબીને ય આંબ્યા અમે તો ખાલી આકાશને
પાંખોનું જોર એથી વધુ અહી ચાલતું નથી !
ટહૂકા બે ચારથી સરગમ નવી ગૂંજતી રહેને
ડૂમો અટકે સ્વરમાં ગીત કોઈ ગવાતું નથી !
ભૂ-લીન સરસ્વતી જેવી આંસુની નદી તરીએ
ને અમે કહીએ ભીના ઓવારે પહોંચાતું નથી !......
No comments:
Post a Comment